આજથી 63 વર્ષ પહેલા તા.15-12-1950ના
દિવસે ભારતમાતાના એ સપૂત સરદાર વલ્લભભાઇ
પટેલે આ ધરતી પરથી વિદાય લીધી. આ
મહાપુરુષને શ્રધ્ધાંજલી રુપે ત્રણ નાની વાતો.
1. સરદાર જ્યારે મુંબઇ જતા ત્યારે
પોતાના દિકરા ડાયાભાઇ પટેલના ફ્લેટ પર રોકાતા.
એક વખત સરદારે નીચે નવીનકોર ગાડી પાર્ક
કરેલી જોઇને ડાયાભાઇને પુછ્યુ , "બેટા , આ
ગાડી કોની છે ?" ડાયાભાઇએ કહ્યુ , "
બાપુજી આપણી જ છે બીરલા શેઠે
ભેટમાં આપી છે." સરદારે તે જ ક્ષણે કહ્યુ , "
ડાયા આજે તે ગાડી લીધી કાલે બીજુ કંઇક
ભેટમાં લઇશ. તારો બાપ આ દેશનો ગૃહપ્રધાન છે
એટલે તને આ ભેટ મળે છે. આજથી હવે હું ક્યારેય
તારી ઘેર નહી આવું અને તું દિલ્લી આવે તો તારે
મને મળવા ન આવવુ". તે દિવસ પછી સરદાર
ક્યારેય ડાયાભાઇના ઘરે નથી ગયા.
2. સરદાર જ્યારે અવસાન પામ્યા ત્યારે એ
ભારતના ઉપવડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા.
અને આમ છતાય એના અંગત બેંકખાતામાં માત્ર
237 રુપિયાની બેલેન્સ હતી. કેટલાક
તો આથી પણ ઓછે કહે છે.
દિકરી મણીબેને સમગ્ર જીવન માત્ર
સાદી ખાદીની સાડી પહેરીને વિતાવેલુ.
3. સરદાર યુવાન વયે વિધુર થયા હતા.
એના પત્નિએ યુવાનીમાં જ બિમારીના કારણે આ
દુનિયામાંથી વિદાય લીધી ત્યારથી શરુ કરીને સરદારે
વિદાય લીધી ત્યાં સુધીમાં ક્યારેય સરદારનું નામ
કોઇ સ્ત્રી સાથે જોડાયુ નથી કે સરદારના કોઇ
સ્ત્રી સાથેના સંબંધો રહ્યા નથી. આથી મોટો સંત
મહાત્મા બીજે ક્યાં જોવા મળે ?
આજના રાજકારણીઓ સરદારને અંજલી આપતા હોય
ત્યારે ખુબ હસવુ આવે અને રડવુ
પણ !!!!!!!!!!!!!!!!!!!!!